મૃગજળમાં જાળ નાખ્યા કરવાથી,
માછલાં ન મળે…
આંસુ વાવવાથી,
મોતી ન ઊગે…
અને
ઝાકળ ભેગી કર્યે,
ઘડા ન ભરાય…
…આવાં અનેક સત્યો સંબંધની
શરૂઆતમાં સમજાતાં હોત તો ?
કાજલ ઓઝા- વૈદ્ય
માણસ જો લાલચને ઠોકર મારી દે તો તે બાદશાહની જેમ ઊંચું પદ મેળવી શકે. કારણ કે સંતોષ જ માણસનું મસ્તક ઊંચું રાખી શકે છે. .
No comments:
Post a Comment