Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Wednesday, June 2, 2010

માણસ અહમનું વિસર્જન કરે, કપટનો ત્યાગ કરે અને સરળ સ્વાભાવ ધારણ કરે તે ભગવાન રામના મતે ભક્તિનું છેલ્લું લક્ષણ છે. માણસે ભક્તિ કરવી હોય તો ધર્મસ્થાનમાં જઈને કલાકો સુધી પૂજા-અર્ચના કરવી જ પડે એવો નિયમ નથી. રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજે ભગવાન રામના મુખેથી શબરી સમક્ષ જે ભક્તિસૂત્રોની ચર્ચા કરી છે એનું પાલન કરવાથી પણ ભક્તિયોગ સિદ્ધ થયો ગણાશે
સાહિત્યકારો-કવિઓ પર બહુ જ જવાબદારી છે. એટલા માટે કે બુદ્ધિ અને લાગણી વચ્ચે જે યુદ્ધ છે તેનું સારતત્વ સાહિત્યમાંથી મળે છે, જ્યારે સાહિત્ય વધુપડતો બુદ્ધિનો ભાર વેંઢારવા માડે છે ત્યારે સાહિત્યકારો માનવીના પેશન અને ઈમોશન તરફ બેદરકાર રહે છે. તેવું સાહિત્ય નપુંસક, મૂરખ અને કોઈ જ સત્વ વગરનું-સત્વહીન બની જાય છે! કવિઓ જ ભાવિ પ્રોફેટ-ઉદ્ધારક છે. તે માટે તેમણે સત્વશીલ બનવું રહ્યું. તેમણે સૌંદર્યલક્ષી (એસ્થેટિકલ) બનવું રહ્યું. ભારત માટે નવી ક્ષિતિજો ઉઘાડવાની જવાબદારી, હે સર્જકો! કે કવિઓ! તમારા ઉપર છે. તો જરા સંભલકે.

મન, વચન અને કર્મ ત્રણેયથી અહિંસા હોવી જોઈએ

મન, વચન અને કર્મ ત્રણેયથી અહિંસા હોવી જોઈએ