મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ
આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ શક
લયના સ્તરોની કૈંક સમજ હોવી જોઇએ
એમ જ તો અક્ષરો નહીં પ્રસરી શકે સતત
મેં લાગણી નિચોવી ભર્યા છે કટોરા કૈં
એમાં ડૂબેલ ડૂસકાતણી પામ તું ઝલક
આ તો ગઝલ છે ભૂલ નથી એ પ્રભુ તણી
કંકુ ને ચોખા સાથે લઇ આવજે હરખ
એ પણ ગઝલ લખે છે કે જે જાણતા નથી
રદ્દીફમાં ને કાફિયામાં હોય છે ફરક
– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)

































No comments:
Post a Comment