Popular Posts

Total Pageviews

Popular Posts

My Blog List

Sunday, August 7, 2011


જીવન રણ છે ને મિત્રતા રણદ્વિપ છે. જીવન રણની જેમ સતત વિસ્તરતું રહે છે જ્યારે આવા બળબળતા રણમાં મિત્રતા રણદ્વિપની ભિની-ભિની જીજીવિષા સમાન છે. મિત્રતા એ સંબંધ નથી પણ માનવીનો સ્વભાવ છે, મિત્રતા શરતોથી પર છે, જે શરતો પર આધિન છે તે મિત્રતા નથી. સાચી મિત્રતા પ્રેમ, પારદર્શકતા, પવિત્રતા, પ્રવાહિતા ને પ્રાર્થનાનાં પંચમહાભૂતમાંથી બનેલી છે. જેમ સિંહણનું દૂધ સોનાનાં પાત્રમાં જ ઝિલાય તેમ પારદર્શક, સ્ફટિક જેવું નિર્મળ વ્યક્તિત્વ જ ચોવીસ કેરેટ શુદ્ધ કંચન સમી મૈત્રી પામી શકે. સાચા મિત્રની સમક્ષ આપણે સંવેદનાઓને લાગણીની આંટીઘુંટીઓનું Catharsis (રેચન) કરીને હળવાં થઇ શકીએ છીએ, નકલી નિખાલસતા ને અસલી Diplomasy ની આ દૂનિયામાં મિત્રતા ને મુત્સદીગીરી વચ્ચે ખૂબજ પાતળી ભેદરેખા હોય છે.

No comments: